ભારતમાં ટેલિવિઝન પર સરકારી દૂરદર્શનની મોનોપોલી પછી ખાનગી સેટેલાઇટ્સ ચેનલ્સનો યુગ શરૂ થયો ત્યારે જેટલું મોટું પરિવર્તન આવ્યું હતું, એટલું જ કે તેનાથી પણ મોટું પરિવર્તન હવે લગભગ આવી પહોંચ્યું છે.
આમ તો ટીવી ક્ષેત્રે વર્ષોથી કોઈ મોટાં પરિવર્તન આવ્યાં નથી. ચેનલ્સની સંખ્યા અને કાર્યક્રમોના પ્રકાર બદલાય, પણ પ્રસારણ પદ્ધતિમાં કોઈ ફેરફાર નહીં. અત્યાર સુધી આપણે માત્ર કેબલ કે સેટેલાઇટથી ડાયરેક્ટ ટુ હોમ (ડીટીએચ) સિગ્નલ ઝીલતી ડિશ એન્ટેનાની મદદથી ટીવી જોતા આવ્યા છીએ, પણ હવે ટીવી જોવાની ઘણી વધુ રીતો ગઈ છે. કારણ દેખીતું છે – હવે ઇન્ટરનેટ અને ટીવી વચ્ચેનું અંતર ઘટવા લાગ્યું છે!