ટેલિ-મેડિસિન – આ શબ્દ આપણે વારંવાર સાંભળીએ છીએ, પણ એ વાસ્તવમાં કામ કેવી રીતે કરે છે એ સમજવું હોય તો આપણે કચ્છના નાના રણની કાંધીએ આપેલા ખારાઘોડા અને તેના જેવાં બીજાં ગામોમાં જવું પડે.
આ ગામોમાં, અમદાવાદના કેટલાક સેવાભાવી લોકો અને ડોકટર્સે શરૂ કરેલી ‘સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ’ નામની એક સંસ્થા દ્વારા છેલ્લા થોડા મહિનાથી ટેલિ-મેડિસિન સેવા શરૂ કરવામાં આવી છે. રણકાંઠાના ગામલોકો જેને ‘ટીવીવાળા ડોકટર’ની સેવાઓ કહે છે તે ટેલિ-મેડિસિ સેવા એ પણ બતાવે છે કે ટેક્નોલોજી લોકોના જીવનમાં કેવું પરિવર્તન લાવી શકે છે.