ભારતમાં ચોમાસું હંમેશા અણધારી મુસીબતો લાવતું હોય છે. કેરળમાં ભારે પૂર પછી વિદાય લઈ રહેલાં ચોમાસા દરમિયાન કેરળ અને ઉત્તર ભારતમાં ફરી પૂર પ્રકોપ સર્જાયો છે. પૂરને કારણે વધુ નુકસાન થવાનું કારણ એ છે કે પૂરની સચોટ આગાહી થઈ શકતી નથી. વિશ્વમાં દર વર્ષે અંદાજે ૨૫ કરોડ લોકોને પૂરની ગંભીર અસર પહોંચતી હોય છે અને અબજો રૂપિયા-ડોલરનું નુકસાન થતું હોય છે.