જગજિતસિંહે ગાયેલી એક સુંદર ગઝલના શબ્દો છે, “કુછ તો હૈ બાત જો તહરીરો મેં તાસીર નહીં, જૂઠે ફનકાર નહીં હૈં તો કલમ જૂઠે હૈ… ભાવાર્થ કંઇક એવો છે કે આટલા બધા લેખકો, ચિંતકો ને કથાકારો સમાજમાં સારું પરિવર્તન આવી શકે એ માટે આટલું બધું લખતા-બોલતા રહે છે છતાં તેની કંઈ અસર થતી નથી તો એનું કંઈક કારણ તો હશે. જો આ લોકો ખોટા નહીં હોય તો પછી એમની કલમ ખોટી હશે એમ માની લઈએ!