ભારતમાં રૂપે કાર્ડનો ઉપયોગ વધારવા માટે સરકાર તરફથી સતત વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દેશમાં ડિજિટલ પેમેન્ટ્સની વ્યવસ્થા સંભાળતા નેશનલ પેેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઈ)એ રૂપે ડેબિટ કાર્ડના ટ્રાન્ઝેકશન પર વેપારીઓ પાસેથે લેવામાં આવતો ચાર્જ ઘટાડવાની જાહેરાત કરી છે.