હમણાં હમણાં સોશિયલ મીડિયામાં અને અખબારોમાં નેટ ન્યુટ્રલિટીનો મુદ્દો હોટ ટોપિક બની રહ્યો. આ વિશે ઘણું લખાયું હોવા છતાં નવાઈજનક રીતે ‘નેટ ન્યુટ્રલિટી’ ખરેખર શું છે તેની સમજ ઓછી છે. આવો સમજીએ.
આગળ શું વાંચશો?
- નેટ ન્યુટ્રલિટી શું છે?
- નેટ ન્યુટ્રલિટીના મૂળ
- નેટ ન્યુટ્રલિટીના રહે તો આપણને શું અસર થાય?
- નાણાંથી વધુ નુકસાન
- ભારતમાં નેટ ચળવળ
- બીજા દેશોમાં શું સ્થિતિ છે?
- મફતમાં મળે તો શું વાંધો?
- આવું પણ બન્યું હતું

જનઆંદોલન’ શબ્દ સાંભળતાં આપણા મનમાં રસ્તાઓ પર નીકળી પડીને સૂત્રોચ્ચાર કરતા લોકોનાં ટોળાં, પોલીસના લાઠીચાર્જ વગેરે ચિત્રો ઉપસે, પણ ગયા મહિને ભારતમાં એક જુદા પ્રકારનું જનઆંદોલન થયું ત્યારે આમાંનું કશું જ ન થયું હોવા છતાં સરકાર હચમચી ઊઠી!
વિદેશોમાં જેની ચચર્િ અને વાંધા-વિરોધ વર્ષોથી ચાલે છે એ ‘નેટ ન્યુટ્રલિટી’નો મુદ્દો ગયા મહિને ભારતમાં પણ અચાનક તોફાની મુદ્દો બન્યો અને જોતજોતામાં, અનેક ભારતીઓએ ઘેરબેઠાં કે ઓફિસમાં રહીને, માઉસની ક્લિકે કે મોબાઇલ પર આંગળીના ઇશારે આ જનઆંદોલનને લગભગ સફળ બનાવ્યું!