પોતાનામાં ખરેખર જેટલી માનસિક, શારીરિક શક્તિ હોય તે મુજબ વાસ્તવિક ધ્યેયો મેળવાય તો ચોક્કસ સફળતા મળે.
પ્રોફેસર પ્રિયાબહેનનું નિદાન ડિપ્રેશનના દર્દી તરીકે થયું છે. તેઓ જ્યારે મારા ક્લિનિકમાં આવ્યાં ત્યારે એ સમજ સાથે જ આવ્યાં હતાં કે મને હતાશાની બીમારી છે. છતાં પણ કેટલીક સ્પષ્ટતાઓ એમણે માગી. એમના પ્રશ્નો કદાચ આપણામાંથી ઘણા બધાના સવાલો હોઈ શકે.