તમને કોમિક્સ એટલે કે ચિત્રવાર્તાઓ વાંચવાનો શોખ હોય કે ન હોય, તમે અમર ચિત્રકથાનું નામ તો અચૂક સાંભળ્યું જ હશે. ભારતનાં બાળકોને અત્યંત રસપ્રદ રીતે ભારતીય સંસ્કૃતિનો પરિચય કરાવનારા અનંત પાઈ તો આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં સ્વર્ગવાસી થયા, પણ એમની ચિત્રકથાઓનો અમૂલ્ય વારસો પોતાની પાછળ છોડતા ગયા.