આગળ શું વાંચશો?
- મોબાઇલ વોલેટ્સમાં છેતરપીંડીની નવી રીત
- ઇન્ટરનેટ વિના સ્માર્ટ પેમેન્ટ!
ભારતમાં આર્થિક લેવડદેવડના ક્ષેત્રે હમણાં ખાસ્સી એવી ઉથલપાથલ જોવા મળી રહી છે. એક તરફ રોકડ નાણાંની તીવ્રી તંગી સર્જાતાં બેન્કનાં એટીએમ ખાલીખમ રહેવા લાગ્યાં અને લોકોને નોટબંધી પછીના દિવસો યાદ આવી ગયા (આવું બનવા પાછળ કણર્ટિકની ચૂંટણીએ ભાગ ભજવ્યો હોય તો પણ નવાઈ નહીં!).
જ્યારે બીજી તરફ કેશલેસ ટ્રાન્ઝેકશન્સને શરૂઆતમાં ઘણો સારો પ્રતિસાદ મળ્યા પછી હવે તેનાં પણ વળતાં પાણી થવા લાગ્યાં છે.
કારણ એ છે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ મોબાઇલ વોલેટ સહિત તમામ પ્રકારની નાણાકીય સુવિધાઓનો ઉપયોગ કરતા લોકો માટે ‘નો યોર કસ્ટમર (કેવાયસી)’નો નિયમ ફરજિયાત બનાવ્યો છે.