મોટા ભાગના લોકો એમ માનતા હોય કે કે તેમણે વાઇરસ કે માલવેરથી ડરવાની જરૂર નથી, તેમને નિશાન બનાવવામાં કોને રસ હોય? પરંતુ એવું નથી. આ અંકમાં આગળ આપેલ બેન્ક ફ્રોડ અંગેના લેખમાં તમે વાંચ્યું હશે તેમ, હેકર્સ આપણા પર નિશાન સાધીને, આપણે જેની સાથે સંકળાયેલા હોઈએ તે મોટી વ્યવસ્થામાં ઘૂસવાનો પ્રયાસ કરે એવું પણ બની શકે. એ સિવાય પણ, જુદાં જુદાં ઘણાં કારણોસર આપણે માલવેર અને વાઇરસના હુમલા સામે સતત સચેત રહેવાની જરૂર છે. વાત કોમન સેન્સની છે, પણ ધણી વાર ભૂલાઈ જતી હોય છે!