સવાલ લખી મોકલનારઃ ચિંતન પુરાણી, ધોરાજી
સવાલ સ્માર્ટફોનના સંદર્ભમાં પૂછાયો છે, પણ જવાબ લેપટોપનો ઉપયોગ કરતા વાચકમિત્રોને પણ કામનો છે.
ટૂંકો જવાબ છે, ના. સ્માર્ટફોન આખી રાત ચાર્જિંગમાં મૂકીએ તો લાંબા ગાળે ફોનની બેટરીની આવરદા ઘટી શકે છે.
દિવસે દિવસે નવા નવા બજારમાં આવતા સ્માર્ટફોનની બેટરી વધુ ને વધુ શક્તિશાળી બનતી જાય છે, પરંતુ તેની સામે તેના પ્રોસેસરની કેપેસિટી પણ વધતી જાય છે, પરિણામે આપણો સ્માર્ટફોનનો વપરાશ પણ સતત વધતો જાય છે, એટલે બેટરી સારી કેપેસિટીનો હોય તો પણ એકાદ દિવસથી વધુ ચાલી શકતી નથી. એના ઉપાય તરીકે ઘણા લોકો હવે પાવર બેન્કનો ઉપયોગ કરવા લાગ્યા છે, તો ઘણા લોકો આખો દિવસ ફોનની બેટરીનો કસ કાઢ્યા પછી રાત્રે સ્માર્ટફોનનું ચાર્જર પ્લગમાં નાખીને ઊંઘી જાય છે!