પૃથ્વી પર માનવજાતનાં મૂળ ક્યાં છે અને ત્યાંથી તે ચારે તરફ કેવી રીતે વિસ્તરી? આ સવાલોના ઊંડાણભર્યા જવાબ આપતો એક ઇન્ટરએક્ટિવ મેપ જોવા જેવો છે.
વિશ્વવિખ્યાત ભૌતિકશાસ્ત્રી સ્ટીફન હોકિન્સે હમણાં, બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં એક પ્રવચનમાં કહ્યું કે “લખી રાખો, માનવજાત હવે અવકાશમાં વસવાટ કરવાના ઉપાયો નહીં શોધે તો પૃથ્વી પર ૧,૦૦૦ વર્ષમાં એક માનવ શોધ્યો જડશે નહીં.
તેમના કહેવા અનુસાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ક્લાઇમેટ ચેન્જને કારણે આવતી એકાદ સદીમાં જ માનવજાત સામે ગંભીર પડકારો ઊભા થશે. ફક્ત એક પ્રલયને કારણે પૃથ્વી પરથી સમગ્ર માનવજાતનો સફાયો થઈ જવાની શક્યતા ઓછી છે, પણ આ જગવિખ્યાત વિજ્ઞાનીના મતે, વર્ષો વીતતાં એવી શક્યતા વધતી જશે અને માનવ પોતે એવી શક્યતા વધારી રહ્યો છે.