માણસમાં વિચાર કરવાની ક્ષમતા છે, પણ તેથી કાંઈ દરેક માણસ વિચાર કરે જ છે એવું નથી.
વિચાર કરવામાં વાંચન સહાયક નીવડે છે. વાંચનથી આપણને અનેક વિચારબિંદુઓ મળે છે, આપણી માહિતી વધે છે, જીવન વિશેની આપણી સમજને વાંચન વધારે છે. જીવનની વિવિધ સમસ્યાઓ કેવી રીતે ઉકેલી શકાય એ વિશેનું અનુભવામૃત આપણે વાંચન દ્વારા પામીએ છીએ.