
આપણે ઘણી વાર વાંચીએ-સાંભળીએ છીએ કે ધીરુભાઈ અંબાણી ચોરવાડથી ખિસ્સામાં માંડ ૧૦૦ રૂપિયા લઇને મુંબઈ આવ્યા હતા. કુટુંબના સભ્યો કે ઓળખીતા-પાળખીતા લોકો પાસેથી મેળવેલા આ સો રૂપિયાના બીજમાંથી તેમણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નામનું વિશાળ વટવૃક્ષ ઊભું કર્યું, જેને આજે મુકેશ અંબાણી અને તેમનાં સંતાનો હજી વધુ વિસ્તારી રહ્યા છે.