માણસમાત્ર ભૂલને પાત્ર! આપણે આખી જિંદગી ભૂલો કરતા રહીએ છીએ, તેમાંથી શીખ લઈએ તો કદાચ એ ભૂલો ફરી ન કરીએ, પણ બીજી નવી નવી ભૂલો કરતા જ રહીએ છીએ. જિંદગીની તકલીફ એ છે કે તેમાં ભૂલોને અનડુ કરવાનો કોઈ સહેલો શોર્ટકટ હોતો નથી. ભૂલમાંથી આકરો બોધપાઠ મળે, પણ તેને સુધારી લેવાની તક નસીબ હોય તો જ મળે.