ટ્વીટરની એક વાત લોકોને ખાસ આકર્ષતી હોય છે – ‘‘ટ્વીટરમાં ક્રિકેટ કે બોલિવૂડ સેલિબ્રિટીઝથી માંડીને મુખ્યમંત્રી કે વડાપ્રધાનને પણ ડાઇરેક્ટ મેસેજ મોકલી શકાય છે!’’ ટ્વીટર ચમરબંધીઓનો સીધો સંપર્ક કરવા માટે ઉપયોગી છે એ વાત સાચી, પણ તેમાં કેટલીક શરતો છે.
અખબારોમાં આપણે વારંવાર આને લગતા સમાચારો વાંચીએ છીએ. જેમ કે ટ્રેનમાં દીકરી માટે દૂધની વ્યવસ્થા ન થઈ શકે તો કોઈ વ્યક્તિ સીધા કેન્દ્રીય રેલવે પ્રધાનને ટ્વીટર પર મેસેજ મોકલે, રેલવે તંત્ર હરકતમાં આવે અને આગલા રેલવે સ્ટેશને તંત્રની કોઈ વ્યક્તિ પેલી બાળકી માટે દૂધની બોટલ સાથે હાજર હોય!