
કોરોનાની પહેલી લહેર દરમિયાન આપણે સૌ મોટા ભાગે પ્રાથમિક સાવચેતીની બાબતો તરફ બેધ્યાન રહ્યા હતા અને તેના પરિણામે અસાધારણ રીતે ગંભીર બીજી લહેરનો સામનો કરવાનો વારો આવ્યો. આ લહેરને પ્રતાપે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, હાથ વારંવાર ધોવા, સેનિટાઇઝરનો ઉપયોગ વગેરે બાબતે સૌ જાગૃત થયા.
તેની સાથોસાથ હોસ્પિટલ્સમાં ઓક્સિજનની ગંભીર અછત સર્જાઈ તેના કારણે આપણને ઓક્સિજનનું મહત્ત્વ પણ સમજાયું. કોરોના ન થયો હોય તો પણ હવે લોકો ઓક્સિમીટર સાધન વસાવવા લાગ્યા છે.