ભારતના નાણામંત્રીએ હમણાં ભારતની બધી બેન્ક્સને પોતાના કસ્ટમર્સને માત્ર રૂપે કાર્ડસ જારી કરવા જણાવ્યું. તેમણે કહ્યું હતું કે ભારતનું રૂપે કાર્ડ વિશ્વસ્તરે ફેલાઈ રહ્યું છે ત્યારે ભારતીય ગ્રાહકોને ભારતમાંની બેન્ક્સ દ્વારા અન્ય કોઈ કાર્ડ આપવાનું કોઈ કારણ નથી. હજી હમણાં જ, ગયા મહિને ભૂતાનમાં પણ રૂપે કાર્ડના ઉપયોગનો બીજો તબક્કો લોન્ચ થયો છે.