મધદરિયે માછીમારોને મદદરૂપ માહિતી પહોંચાડતી ‘જેમિની’ વિશે જાણો

By Nimit Kumar

3

અત્યાર સુધી ભારતના નાના માછીમારો મધદરિયે હોય ત્યારે ભગવાન ભરોસે રહેતા હતા, હવે ‘જેમિની’ સિસ્ટમથી તેમને કિનારેથી મહત્ત્વના સંદેશા મોકલવાનું શક્ય બન્યું છે.


ડૉ. નિમિત્ત કુમાર, વૈજ્ઞાનિક, ઇન્કોઇસ દ્વારા


છેલ્લાં સવાસો વર્ષમાં સંદેશાવ્યવહારની વ્યાખ્યા જેટલી વાર બદલાઇ તેના કરતાં વધુ વખત ‘સાયબર’ શબ્દની વ્યાખ્યા ‘સાયબરસફર’ શરૂ થયાના આઠ વર્ષમાં બદલાઈ એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી!

વર્ષ ૨૦૦૮માં અખબારની કોલમ તરીકે ‘સાયબરસફર’ની શરૂઆત થઈ અને ચાર વર્ષ પછી મેગેઝિન સ્વરૂપે તેણે નવો અવતાર લીધો ત્યારે મેગેઝિનની ટેગલાઇન ‘‘નવું જાણવા, ઘણું માણવા… માઉસને આપો પાંખો!’’ નક્કી કરી હતી. આ શબ્દો પાછળની મૂળ બિલકુલ ભાવના બદલાઈ નથી, પણ માઉસનું સ્થાન હવે આંગળીના ટેરવાએ લઈ લઈ લીધું છે.

પાછલા એક દાયકામાં ઘણું બધું બદલાયું છે અને એટલે જ, ‘સાયબરસફર’નું મેગેઝિન સ્વરૂપ તેના નવમા વર્ષમાં પ્રવેશી રહ્યું છે ત્યારે અમે વિષયોની પાંખો ફેલાવવાનું નક્કી કર્યું. આના માટે આપણા ગ્રહનો રંગ નિખારતા અને આપણી ઉત્ક્રાંતિથી લઈને સંસ્કૃતિના સંગાથી રહેલા દરિયાથી વધુ સારો વિષય શું હોય?!

આપણે બે ઘડી મોબાઇલમાં સિગ્નલ ન મળે તો બેબાકળા બની જઈએ છીએ, પણ મધદરિયે માછીમાર માટે સંદેશાનો અભાવ જીવન-મૃત્યુનો સવાલ હોય છે. તેમના માટે ભારતીય વૈજ્ઞાનિકો શું કરી રહ્યા છે, આવો જાણીએ.

વળી, યુનાઇટેડ નેશન્સે વર્ષ ૨૦૨૧-૨૦૩૦ના દશકાને ‘ડેકેડ ઓફ ઓશન સાયન્સ ફોર સસ્ટેનેબલ ડેવેલપમેન્ટ’ (ટૂંકમાં, દરિયાઇ દશકો) જાહેર કરેલ છે! આ સંદર્ભે ‘સાયબરસફર’એ ભારતની હૈદરાબાદ સ્થિત દરિયાઇ માહિતી આપતી સંસ્થા ‘ઇન્કોઇસ’ને એક વૈજ્ઞાનિક લેખમાળા, સામાન્ય નાગરિકો સુધી પહોંચાડવા આમંત્રણ આપ્યું.

યોગાનુયોગે ‘સાયબરસફર’ અને ‘ઇન્કોઇસ’નો ‘જન્મદિન’ ફેબ્રુઆરી મહિનામાં આવે છે. એ નિમિત્તે બંને તરફથી વાચકોને આ અંકથી શરૂ થતી નવી લેખમાળા, ભેટરુપે!

Please Login to view this content. (Not a member? Join Today!)

આ લેખો પણ ગમશે...

Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop