સવાલ મોકલનાર : મિતેશ ગજ્જર, મહેસાણા
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ફોન ચાર્જ થતો હોય ત્યારે તે ફાટવાની શક્યતા હોવાથી ચાર્જિંગ સાથે તેનો ઉપયોગ ન કરવો જોઈએ. પરંતુ વાસ્તવમાં આપણે ખામીવાળું ચાર્જર ઉપયોગ કરીએ કે સેમસંગ નોટ-૭ના કિસ્સામાં જોવા મળ્યું તેમ ફોનના મેન્યુફેક્ચરરથી જ ફોનમાં કોઈ ખામી રહી ગઈ હોય તો જ ફોન ફાટતા હોય છે.