નવમી ડિસેમ્બર, ૧૯૪૬. આ તારીખ વાંચીને તમને કોઈ વિચાર આવે છે? નહીં આવે. અને ૨૬મી જાન્યુઆરી, ૧૯૫૦? તમે કહેશો, ‘એ તો ખબર જ હોયને, આપણો ગણતંત્ર દિવસ!’ ભારત એક ગણતંત્ર, લોકશાહી દેશ બન્યો એ પ્રક્રિયાની શરૂઆત ૯ ડિસેમ્બર, ૧૯૪૬ના દિવસે થઈ હતી. આપણા સ્વાતંત્રય દિવસની પણ પહેલાં. એ દિવસે ભારતની બંધારણીય સભાની પહેલી બેઠક મળી હતી.